Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

આદિવાસી પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલાલામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

સુત્રાપાડાઃ ગીર-સોમનાથના પાટનગર  તાલાલા ગીરમાં શ્રી બાઈ આશ્રમ ખાતે પ્રદેશ આદિવાસી અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી. આદિવાસી સમાજ દ્વારા દેશ-વિદેશમાં પ્રચલિત આદિવાસી ધમાલ નૃત્યનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં આર્ટિસ્ટ એસોસીએશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) સંગઠન દ્વારા લોકડાયરો પુરો પાડીને કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો. જેમાં જિલ્લા આ.ઓ.જી. પ્રમુખ ગાયિકા રેખાબેન ગોંડલીયા તથા મહામંત્રી જાણીતા લોક સાહિત્યકાર રાજાભાઈ ગઢવીએ સૌ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગરના દાતા યુનુશભાઈ રાયકા તથા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષમ કીટ એનાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આ.ઓ.જી.ના પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળા, લીગલ એડવાઈઝર ઉષાબેન કુસકીયા, આદિવાસી જિલ્લા અગ્રણીઓ હાસમભાઈ મુંશાગરા, યુનુશભાઈ રાયકા, રમજાનભાઈ મકવાણા, ઈભ્રામભાઈ મજગુલ, આશુભાઈ પરમાર, મમદભાઈ મોરૃકા, સરપંચ અબ્દુલભાઈ ગલયાવાડ, સરપંચ ઈભરામભાઈ મુરીમા, મુન્નાભાઈ જામનગર, હુસેન સાલમ સુરત, અમીનભાઈ ચોટીયારા, બિબલભાઈ સિદી મહેસાણા, મનસુરભાઈ મીપાવા ભાવનગર, અબ્દુલ અજી ભાવનગર, મુખ્તાર મકવાણા, જુસબભાઈ મજગુલ, રમજાનભાઈ બાદશાહ, હિરભાઈ લોબી, હનિફાબેન મજગુલ, અમીનાબેન મકવાણા, રૃફીયાબેન મજગુલ, મેમુદબેન પરમાર, નાથીબેન મજગુલ, મોતિબેન ભાલીયા, ખેરૃનબેન મુરી, અસ્મિતાબેન ચોટયાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ આદિવાસી મહિલા અગ્રણી હનિફાબેન મજગુલની યાદીમાં જણાવાયુ છે. (તસ્વીર-અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)

(11:27 am IST)