Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પૂ. મોરારીબાપુ દ્વારા સાવરકુંડલાના બાઢડાના અકસ્માતગ્રસ્ત મૃતકોના પરિવારને સહાય અર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૧ ઃ. સાવરકુંડલા નજીકના બાઢડા ગામમાં એક અત્યંત દુઃખદ અકસ્માત થયો હતો. રસ્તાની બાજુએ સુતેલા મજુર પરિવારના લોકો પર બેકાબુ બનેલો ટ્રક ધસી જતા અનેક લોકો ઘાયલ થયા હતા અને તે પૈકી ૮ વ્યકિતઓના કરૃણ મૃત્યુ થયા હતા.

પૂજ્ય મોરારિબાપુએ શ્રી હનુમાનજીની સાંત્વના રૃપે તમામ મૃતકોના પરિવારજનોને રૃા. ૫ હજાર અને એ રીતે કુલ ૪૦ હજારની તત્કાલ સહાય તુલસીપત્ર રૃપે મોકલી છે. પૂજ્ય શ્રી ધ્યાનસ્વામિબાપા ચેતન સમાધિ-સેંજળધામના ટ્રસ્ટી શ્રી ગુણુબાપુએ પ્રતિનિધિ તરીકે રૃબરૃ જઈ આ સહાયની રકમ વિતરિત કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે.

(11:25 am IST)