Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

મોરબી રક્ષાબંધનના પર્વ નિમિતે એસટી બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી આપવાની માંગ

શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજ્યમાં એસટી બસ સેવા વિનામૂલ્યે આપવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દિનદયાળ સેવા સંઘ દ્વારા કરવામાં આવી છે
મોરબી સ્થિત ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દિનદયાળ સેવા સંઘના ધર્મિષ્ઠ!બેન વ્યાસ દ્વારા રાજ્યપાલને આવેદન પાઠવી જણાવ્યું છે કે તા. ૨૨ ના રોજ રક્ષાબંધનનો તહેવાર હોય જેથી બહેનો માટે ખાસ એસટી બસ સેવા વિનામૂલ્યે આપવામાં આવે રક્ષાબંધન પર્વને ધ્યાને લઈને તા. ૨૧ થી તા. ૩૦ સુધી ૧૦ દિવસ માટે બસ સેવાનો લાભ આપવાનો જોઈએ જેથી રાજ્યની બહેનો તહેવારનો લાભ લઇ સકે ગુજરાત સરકાર ભાજપ મહિલા મોરચા દ્વારા એક રક્ષાબંધનના દિવસે ગરીબ અને મધ્યમવર્ગની બહેનો અને દીકરીઓને અનોખી સોગાદ આપી ઉજવણી કરવી જોઈએ તેમ પણ જણાવ્યું છે

(10:02 pm IST)