Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ધોરાજી બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા વ્‍યસનમુકિત અભિયાન

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૧૧: પ્રમુખ સ્‍વામિ સતાબ્‍દી મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે ધોરાજીના બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના બાળ સભામાં આવતા બાળકો દ્વારા ધોરાજી શહેરમાં ઘેર ઘેર અને જાહેર કાર્યક્રમમાં વ્‍યસનમુકિત અંગે લોકોને જાગૃતિ લાવવા પ્રકૃતિ સર્વધન અભિયાન બાલીકાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આજે બીએપીએસના બાળ સભાના બાળકોએ ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં આવતા દર્દીઓને માર્ગદર્શન આપેલ આ તકે સરકારી હોસ્‍પિટલના અધ્‍યક્ષ ડો.જયેશ વેસેદીય, ડો.અંકીતાબેન પરમાર, એડવોકેટ દિનેશભાઇ વોરા સહિતના હાજર રહી બાળકોએ સમાજમાં વ્‍યસન મુકિત અભિયાન ચલાવા અંગે શુભેચ્‍છાઓ આપેલ હતી.

(12:10 pm IST)