Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વીરપુર (જલારામ)ના સ્‍વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઝળકયા

વીરપુર (જલારામ) : શહેરમાં આવેલ સ્‍વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામમાં ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરીણામ આવ્‍યું હતું. જેમા ધો-૧૦ના વિવેક અશોકભાઇ વરમોરાએ ૯૭.૧૨ પીઆર મેળવી ગુરુકુળમાં પ્રથમ તથા ધો.૧૨માં દિપ ગોપાલભાઇ વ્‍યાસે ૯૮.૧૯ પીઆર મેળવી વિરપુર કેન્‍દ્રમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. જેથી સંસ્‍થા પ્રમુખ વિશ્વવિહારી દાસજી સ્‍વામી તથા પ્રિન્‍સિપાલ અને શિક્ષકો દ્વારા પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી. સાથે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને નિરાશ ન થઇ આવતા વર્ષ વધુ મહેનત કરવાની સાંત્‍વના અને હિંમત આપી હતી. (તસ્‍વીર-અહેવાલ કિશન મોરબીયા-વિરપુર(જલારામ)

(1:05 pm IST)