Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મીઠાપુરમાં ધોકાઇ પરિવાર દ્વારા શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડાયા

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે ધોકાઇ પરિવાર દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા શ્રી આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં સબરસ ભવન ખાતે પ્રદીપભાઇ ધોકાઇ પરિવાર દ્વારા શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાને ભવ્‍ય શણગારથી સજજ કરાયા બાદ બપોરે ગોયણીઓ જમાડી અને રાત્રે શ્રી રાંદલ માતાજીના ગરબાના પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી અમારી રીતે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવામાં ના આવ્‍યા હોય અને તેમાં પણ છેલ્લા બે વર્ષોથી કોરોના સમય દરમિયાન આવા ધાર્મિક પ્રસંગો પણ ના થઇ શકયા હોય મીઠાપુરની ધર્મપ્રેમી જનતાએ મોટા પ્રમાણમાં ઉપસ્‍થિત રહી આવા અલભ્‍ય દર્શનનો લ્‍હાવો મેળવ્‍યો હતો. (તસ્‍વીર : અહેવાલ : દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

 

(10:31 am IST)