Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ધોરાજીના રાવલ ફળિયા વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે

મહિલાઓ પાણીના પ્રશ્ને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા: છતે પાણીએ વલખા મારવા નો વારો મહિલાઓનો આવ્યો સ્થળ ઉપર બેડા લઈને રોષ પ્રગટ કરીએ:મુખ્ય અધિકારીએ તાત્કાલિક બોર રીપેરીંગ કરવાની ખાતરી આપી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ના રાવલ ફળિયા વિસ્તાર માં લોકો ને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે

ધોરાજીના રાવલ ફળિયા વિસ્તારમા છેલ્લા ચાર વર્ષથી પીવાનું પાણી લોકોને મળતું નથી લોકો પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકી રહ્યા છે પાલિકા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ નિરાકરણ ન લાવતું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો
રાજ્ય સરકારની નલ સે જળ ની યોજના નું ધોરાજી માં સુરસુરિયું થઇ રહ્યું છે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પીવાનું પાણી મળી રહે છે એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવા ધોરાજીના રાવલ ફળિયા વિસ્તારમાં પોકળ સાબિત થઈ રહ્યા છે
અહી ના સ્થાનિકો ને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પીવાનું પાણી મળતું નથી જેને લઇને રોષ જોવા મળી રહ્યો છે રાવલ ફળિયા વિસ્તારની મહિલાઓએ પાલિકા તંત્ર વિરૂદ્ધ સૂત્રોચાર કરી અને એમનો રોષ વ્યકત કરેલ હતું .
રાવલ ફળિયા વિસ્તારની મહિલાઓનું કહેવું છે કે અહીંયા નગર પાલિકા દ્વારા પીવાના પાણી ની નવી પાઇપ લાઈન નાખવામાં આવી છે પરંતુ હજુ એમાં પાણીના આવતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પીવાના પાણી માટે અહી વર્ષ 2014 માં ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા આ વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યા નિવારણ માટે અંદાજિત બે લાખ રૂપિયા ના ખર્ચે સબ મર્સિબલ અને ટાંકો બનાવી આપવામાં આવેલ હતો જે ટેકનિકલ ખામીને કારણે છેલ્લા ચાર વર્ષથી બંધ છે જો આ સબ મરસિબલને રિપેર કરી આપવામાં આવે અને નવી લાઇન ચાલુ કરી આપવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ આવી જાય આ બાબતે મહિલા લોકોએ જાહેરમાં મેળાઓ લઈને ધોરાજી નગરપાલિકા હાઈના સુત્રોચ્ચાર પોકાર્યા હતા
ધોરાજી નગર પાલિકાના ચીફ ઓફિસર ચારુબેન મોરીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે ધોરાજીના કોઈ પણ વિસ્તારમાં પાણીની સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવા માટે સ્ટાફ ને સૂચના આપી દેવામાં આવી છે અને રાવલ. ફળિયા વિસ્તારની પણ ફરિયાદ મળી છે જેનું તાત્કાલિક નિરાકરણ લવવમાં આવશે અને તેજ વિસ્તારનું જે સબ મર્સીબલ બંધ છે તે તત્કલિક રિપેર કરી આપવામાં આવશે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવે માટે પાલિકા તંત્ર સજ્જ છે તેમ મુખ્ય અધિકારી એ જણાવ્યું હતું

 

(6:38 pm IST)