Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

માળિયા(મીં) આઇ.ટી.આઇ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

મોરબી :  રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લામાં શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે માળિયા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા ખાતે રૂ.૭.૯૪  કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇટીઆઇ તેમજ ટંકારા ખાતે તૈયાર થયેલ રૂ.૭.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇટીઆનું લોકાર્પણ થવાનું છે. જેમા માળીયા આઈટીઆઈના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ઔદ્યૌગિક તાલીમ સંસ્થાસ દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે

 

(1:30 pm IST)