Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જુનાગઢમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે માધવ ક્રેડીટ કો. સોસાયટી તથા ગીરનાર ગ્રાહક સહકારી ભંડાર દ્વારા ‘જુનાગઢમાં અખંડ ભારતના દર્શન' કરાવવાના હેતુથી ગુજરાત રાજય સ્‍થાપના દિને, જલારામ ભકિતધામ ખાતે શ્રી સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું, આ ધાર્મિક એવમ રાષ્‍ટ્રીય કાર્યક્રમની વિશિષ્‍ટતા એ હતી કે વિવિધ રાજયોના ૭પ દંપતિના યજમાનપદે કથા યોજવી. અને એ હેતુ પુરેપુરો સાર્થક થયો. જુનાગઢ મ્‍યુ. કો. ના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર અને તેમના જીવનસાથી મોહનભાઇ યજમાનપદે બેસી પૂજાવિધીમાં જોડાયા હતાં. આ નવીનતમ કાર્યક્રમ નિહાળવા અને કથા શ્રવણ કરવા માટે પણ શ્રધ્‍ધાળુ લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં. જલારામ મંદિરનું વિશાળ પટાંગણ આ માનવ મહેરામણને સમાવવા જાણે કે હાંફી ગયું હતું. સંસ્‍થાના મેનેજીંગ ડીરેકટર હર્ષદભાઇ મંકોડી અને જનરલ મેનેજર દિનેશભાઇ ભટ્ટનું શ્રી જલારામ પરિવાર ટ્રસ્‍ટ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(12:35 pm IST)