Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ખોડલધામ-વીરપુરમાં દર્શન કરી કાર્ય આરંભતા અર્જુન ખાટરિયા

રાજકોટ : જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ અર્જુન ખાટરીયાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે ખોડલધામ કાગવડ તેમજ વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા હતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું પદગ્રહણ કર્યા પછી આ બને પવિત્રધામના આશીર્વાદ લઇને સમગ્ર જિલ્લામાં કોંગ્રેસનું કાર્ય આગળ વધે એના માટેનો સંકલ્‍પ કર્યો હતો તેમની સાથે ગોંડલ-જેતપુર-રાજકોટના આગેવાનો જોડાયા હતા જેમાં હરિભાઇ ભંડેરી, વિનુભાઇ ધડુક, આશિષ કુંજડિયા, સુરેશભાઇ બથવાર, ધામી, સવજીભાઇ, ડી. કે. વેકરીયા, શૈલેષભાઇ રોહિત, રાજપૂત મહેન્‍દ્રભાઇ જાડેજા, વલ્લભભાઇ સુરૂભા જાડેજા, ભટ્ટીભાઇ વગેરેનો સમાવેશ થાય છે. શ્રી ખાટરિયા આગામી દિવસોમાં જિલ્લાનો વ્‍યાપક પ્રવાસ કરનાર છે.

 

(10:42 am IST)