Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પરશુરામ દાદાની જોલી યાત્રા

જૂનાગઢ  : આગામી પરશુરામ જયંતી શોભાયાત્રાનું અને પરશુરામ દાદાની જોલી યાત્રાના આયોજન માટે ધાર્મિક ફાર્મ ખાતે હોદ્દેદારોની મીટીંગ મળેલ. તેમા નકકી થયા મુજબ પરશુરામ દાદાની જોલી યાત્રાની શરૂઆત ગુરૂવારના રોજ વોર્ડનં.૧૩ મધુરમ સાંઇ બાબાના મંદર ખાતેથી સાંજે ૬ કલાકે થશે. જયદેશભાઇ જોશી, આશીષભાઇ ઉપાધ્યાય, કાર્તિકભાઇ ઠાકર, દેવાંગભાઇ વ્યાસ, પી.સી.ભટ્ટ વગેરે જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સાથે વોર્ડ નં.૧૩ના પ્રમુખ વીરેન્દ્રભાઇ જોશી, મંત્રી વિરાજ પંડયા, ઉપપ્રમુખ તુષાર જોશી અને મનીષ વ્યાસ ઉપરાંત મહિલા મોરચાના અગ્રણી ગીતાબેન જોશી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહેશે

(11:53 am IST)