Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સિહોરના સરગામે જીવડુ કરડી જતા મહિલાનું મોત

ભાવનગર તા.૩ : સિંહર તાબેના સર ગામે રહેતા ક્ષત્રિય પવનબા ઘનશ્યામસિંહ ગોહિલ (ઉ.વ.૪૮) તેના ઘરે ગાય માટે નીરણ લેવા જતા કોઇ ઝેરી જીવડુ કરડી જતા ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.

દાઝી જતા મોત

સિહોર તાલુકાના સરકડીયા સોન ગામે રહેતા પટેલ વૃધ્ધા પુરીબેન ભીમજીભાઇ (ઉ.વ.૬પ) તેના ઘેર ગંભીર રીતે દાઝી જતા અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન તેનુ મોત નિપજયુ હતુ.

(12:02 pm IST)