Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

તોરણીયા નકલંક ધામમાં અષાઢી બીજ મહોત્‍સવની ઉજવણી

પુ.જેન્‍તીરામ બાપા, નૌતમ સ્‍વામી, વિજયબાપુની ઉપસ્‍થિતીમાં ધર્મસભા રાત્રે સંતવાણી  લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી,  દેવાયત ખવડ,  ગીતાબેન રબારી સહીતના કલાકારો જમાવટ કરશે

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧: ધોરાજી નજીક આવેલ તોરણીયાના નકલંક ધામ ખાતે પ.પુ. ધર્મભુષણ સંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપુ દ્વારા અષાઢી બીજ મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં સવારે ધ્‍વજારોહણ યજ્ઞ સાથે આ મહોત્‍સવનો પ્રારંભ થયો હતો. આજે સાંજે પ.૩૦ કલાકે અખિલ ભારત સંત સમીતી સૌરાષ્‍ટ્ર અને નકલંક ધામ દ્વારા આયોજીત ધર્મસભા યોજાનાર છે.

સંત સમીતીના અધ્‍યક્ષ પુ.રાજેન્‍દ્રદાસ બાપુના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર આ સભામાં વડતાલ પુ.નૌતમસ્‍વામી તમેજ સ્‍વાી જીતેન્‍દ્રાનંદ સરસ્‍વતી સતાધારથી પુ.વિજય બાપુ તેમજ ધુનડા સંત પુરાણ ધામ આશ્રમના પુ.જેન્‍તીરામ બાપા સહીતના સંતો મહંતો ધર્મસભામાં પ્રવચન આપશે તેમ મેંદરડાના પુ. સુખરામદાસજી બાપુએ જણાવ્‍યું છે. તેમજ રાત્રે સંતવાણી લોકડાયરામાં લક્ષ્મણ બારોટ કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, જીગ્નેશ બારોટ, ગીતાબેન રબારી, પરસોતમપરી બાપુ, રામદાસ ગોંડલીયા, બિરજુ બારોટ સહીતના કલાકારો જમાવટ કરશે. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા પુ.રાજેન્‍દ્રદાસ બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(2:09 pm IST)