Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જોડિયામાં આયુષ મેગા નિદાન અને સારવાર કેમ્પ

જોડિયા : શેઠ કાકુભાઇ જીવણદાસ હુન્નરશાળામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક, નિયામક આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ પ્રચાર - પ્રસાર અંતર્ગત આયુષ મેગા નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં આયુર્વેદ/હોમિયોપેથીક સર્વ રોગ નિદાન સારવાર, ઔષધી - દર્શન, યોગ - દર્શન, સ્વસ્થ જીવનશૈલીના માર્ગદર્શનનાં ભાગરુપે ગામમાં ઋતુચર્યા પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદ જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપવામા આવ્યું હતું.જેમાં મેગા નિદાન સારવાર કેમ્પનો  ૨૯૩ લાભાર્થીએ, યોગ નિર્દેશન તથા માર્ગદર્શનનો ૨૫૦ લાભાર્થીએ, સ્વસ્થ જીવનશૈલી માર્ગદર્શન અને વિવિધ ચાર્ટ અને બેનરની પ્રદર્શનીનો ૨૯૩ લાભાર્થીએ લાભ લીધો હતો. કેમ્પમાં આયુર્વેદ ડો. આનંદ કુમાર જયસ્વાલ, હોમિયોપેથીક ડો.નીતેષકુમાર બાબરીયા તેમજ હોસ્પીટલ સંગ્રહ સ્ટાફ સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા ,સુધીરભાઇ રાજા તેમજ હુન્નર શાળા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

(1:05 pm IST)