Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઉનાથી ૧૦૦ વધુ શિવ ભકતો અમરનાથ યાત્રાએ જવા રવાના

ઉનાઃ  ભક્‍તોનો સંઘ અમરનાથ,ચારધામ માટે આનંદવાટિકા ચોક ખાતેથી ક્રિષ્‍ના ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલક હરેશભાઈ ગોસ્‍વામી દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્‍યો જે યાત્રા ઉનાથી ઉતરાખંડ સાથે હરિદ્વાર,ગંગોત્રી, યમુનોત્રી,બદ્રીનાથ,કેદારનાથ,હેમકુંડ, વૈષ્‍ણો દેવી અને અમરનાથ ચારધામ યાત્રાનું આયોજન  કરવામાં આવ્‍યું હતું જેમાં ૧૦૦થી વધુ શિવ ભક્‍તોનો સંઘ પ્રવાહ સામાજિક,રાજકીય લોકો દ્વારા જય ભોલનાથના જયઘોષ સાથે હારતોરા કરી યાત્રાની શુભકામના સાથે યાત્રિકોની યાત્રાની શુભેચ્‍છા પાઠવી હતી નગરપાલિકા ઉપપ્રમુખ ચન્‍દ્રેશભાઈ જોશી,નગરસેવક અલ્‍પેશભાઈ બાંભણિયા,તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણિયા,યુવા ભાજપ મહામંત્રી કિરીટ વાજા સહિત શહેરના આગેવાનો દ્વારા યાત્રિકોને ફૂલહાર,મીઠા મોઢા કરાવી ચારધામ યાત્રાનો શુભારંભ કરાવ્‍યો હતો. તે તસ્‍વીર. 

(10:22 am IST)