Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વડિયા પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડિયાઃ ઉગમફોઝ અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા આજે વડિયા પોલીસ લાઈન ખાતે ૫૦ વૃક્ષ વાવી લોકોને એક સંદેશો આપવામાં આવ્‍યો હતો કે વૃક્ષ એજ જીવન છે એક વૃક્ષ નીચે બેસીને ઓક્‍સિજન મેળવાય છે અને છાંયડો પણ મળેછે માટે આવનારી પેઢીઓ માટે વૃક્ષ વાવો તો આવતી પેઢીને ઓક્‍સિજન મળશે આ તકે વડિયા પોલીસ સ્‍ટેશનના કર્મચારીઓ મહેશદાન ગઢવી દસરથસિહ સરવૈયા સહિતના પોલીસ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે દેવગામ અમર સાહેબ આશ્રમ ખાતે થી આવેલ ચંદ્રેશભાઇ વૃક્ષ વિશે માહિતી આપી હતી કે અમો દરેક જગ્‍યાએ તદન મફત વૃક્ષ અને પીંજરા આપીએ છીએ તમારે વૃક્ષ નું ત્રણ વર્ષ સુધી માવજત કરવાની રહેશે માત્ર વૃક્ષ વાવવું એ જરૂરી નથી પરંતુ આ વૃક્ષ ને ત્રણ વર્ષ સુધી પુરી કાળજી સાથે માવજત કરવાની જરૂર હોય છે. (તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા-વડિયા) 

(10:30 am IST)