Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

આગામી રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

મુખ્યમંત્રી ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

                                                                                         જામનગર:આગામી તા.૦૩ને રવિવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાનાં પ્રવાસે પધારનાર છે. જેમાં તેઓ જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર- સિદસર ખાતે સવારે માતાજીના દર્શન કરશે. ત્યારબાદ ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર ઉમિયા માતાજીના “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમત્રીની સાથે આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, પદ્મ શ્રી મથુરભાઈ સવાણી, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, મોહનભાઈ કુંડારિયા, વેલજીભાઈ શેટા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે

(7:53 pm IST)