Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

સન્‍માન સમારોહમાં ક્ષત્રીય સમાજના બહેનો ઉમટી પડે : કિર્તીબા રાણા

કચ્‍છ-કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસીએશન દ્વારા આયોજીત : સી.આર.પાટીલ-વિજયભાઇ રૂપાણી-વજુભાઇ વાળા ઉપસ્‍થિત રહેશે

રાજકોટ,તા. ૧ : રાજશકિત ક્ષત્રીય મહિલા મંડળના પ્રમુખ અને વોર્ડ નં. ૧૭, ભાજપના કોર્પોરેટર કિર્તીબા રાણાની અખબારી યાદીમાં જણાવાયુ છે કે શ્રી કચ્‍છ કાઠીયાવાડ ગરાસીયા એશોસીએશન તથા રાજકોટ રાજ્‍ય ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે તા. ૩ને રવિવારના રોજ સવારે ૯:૨૦ કલાકે શહેરના રણજીત વિલાસપેલેસ ખાતે પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા તેજ રાજ્‍યના વર્તમાન અને પૂર્વ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્‍યો, રાજવીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ક્ષત્રીય તેમજ કાઠી સમાજના મોભીઓ, નારી રત્‍નો તથા અન્‍ય સમાજના આગેવાનોની ઉપસ્‍થિતીમાં સ્‍વરાજથી શરૂ કરી રાજ્‍ય સરકારમાં વિવિધ પદાધિકારી સ્‍વરૂપે કાર્યરત ક્ષત્રીય સમાજના આગેવાનોનો સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

આ સન્‍માન સમારોહ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા, ધ્રુવકુમારસિંહ જાડેજાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે. ત્‍યારે ઉપરોકત સંસ્‍થા દ્વારા સમાજમાંથી કુરિવાજો, વ્‍યસન નાબુદી કાર્યક્રમો અવિરત પ્રયાસોથી તંદુરસ્‍ત સમાજનું નિર્માણ થયું છે.

ત્‍યારે આ કાર્યક્રમમાં ક્ષત્રીય સમાજના બહેનોને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા કિર્તીબા રાણાએ અનુરોધ કર્યો છે.

(3:23 pm IST)