Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોરબીમાં ધોરણ ૧૨ સામાન્‍યપ્રવાહ અર્થશાષાના પેપરમાં ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર

ધોરણ ૧૦ના ગણિતના પેપરમાં ૧૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

  (પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.  ૧: ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં ગઇકાલે અર્થશાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૪૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જીલ્લામાં ધોરણ ૧૨ અર્થશાષા વિષયના પેપરમાં નોંધાયેલા કુલ ૫૪૯૯ પૈકી ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૫૪૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ ૧૪ દિવ્‍યાંગ વિદ્યાર્થીઓએ પણ ઉત્‍સાહભેર પરીક્ષા આપી હતી.

 ધોરણ ૧૦ના ગણિતના પેપરમાં ૧૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.

મોરબી જીલ્લામાં ગઇકાલે ધોરણ ૧૦ ની પરીક્ષામાં સ્‍ટાન્‍ડર્ડ ગણિત અને ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ ૧૩ પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.

આજે મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં સ્‍ટાન્‍ડર્ડ ગણિત વિષયના પેપરમાં નોંધાયેલા કુલ ૧૫૬૮ માંથી ૧૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૫૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો ગણિત વિષયના પેપરમાં ઈંગ્‍લીશ મીડીયમના ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ ૧૭૨૪ માંથી ૧૭૧૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

(1:11 pm IST)