Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભાવનગરના કુંભણના નિવૃત્ત આચાર્યનું પેન્‍શનર મંડળ દ્વારા સન્‍માન

ભાવનગર, તા.૧: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કુંભણ ગામે રહેતા શ્રી વલ્લભભાઈ દ્યુસાભાઇ પરમાર( નિવૃત્ત આચાર્ય કે.વ.પ્રા. શાળા કુંભણ)નું પાલીતાણા તાલુકા પેન્‍શનર મંડળ દ્વારા સન્‍માનપત્ર અને શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ છે. વલ્લભભાઈ પરમાર એ ૩૭ વર્ષ નોકરી કરી છે જેમાં ૨૩ વર્ષ વતન કુંભણ ગામે ફરજ બજાવી છે અને અનેક વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મહત્‍વનું યોગદાન આપેલ હતું.

(11:38 am IST)