Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ગાંગજી વીર ઋષિની દિવ્‍ય સાધના ભૂમિ કાલાવડમાં

વિનામૂલ્‍ય નેત્ર નિદાન તથા ઓપરેશન કેમ્‍પનો ર૦૦ દર્દીઓએ લાભ લીધોઃ ર૬ના ઓપરેશન કરાયા

સદ્‌્‌ગુરૂદેવ પૂ.પારસમુની મ.સા.ની પ્રેરણાથી દિવ્‍ય ફાઉન્‍ડેશન દ્વારા આયોજન

રાજકોટ તા. ૧ :.. ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. ના સુશિષ્‍ય સદ્‌્‌ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા.ના સાનિધ્‍ય અને પ્રેરણાથી ગાંગજી વીરઋષિની દિવ્‍ય સાધના-સમાધિભૂમિ પર કાલાવડમાં પ્રથમ જ વાર વિનામૂલ્‍ય નેત્રનિદાન તથા ઓપરેશન કેમ્‍પ તા. ૩૧ ને ગુરૂવારે યોજાયેલ.
શ્રીમતી શારદા જહાટાકેયા હોસ્‍પીટલ -ગોંડલ, ડો. કે. યુ. જહાટકિયા ચેરીટી ટ્રસ્‍ટ - ગોંડલના સહયોગથી વિનામૂલ્‍યે નેત્ર નિદાન તથા ઓપરેશન કેમ્‍પનું આયોજન થયેલ જે નેત્ર નિદાન કેમ્‍પનાં લાભાર્થી માતુશ્રી વનિતાબેન જયવંતભાઇ જસાણી પરિવાર - મુંબઇ હતાં.
ડો. પ્રદીપ પોરીયા, કેતનભાઇ, ભાવેશભાઇ, અમિતભાઇ આદિ શ્રીમતી શારદા જહાટકિયા હોસ્‍પીટલ ગોંડલની ટીમે ર૦૦ ઉપરાંત દર્દીઓની ઓ. પી. ડી. તપાસ કરી અને ર૬ જેટલા દર્દીઓને ઓપરેશન અર્થે ગોંડલ જહાટકિયા હોસ્‍પીટલમાં બસમાં લઇ ગયેલ. જેના સફળતા પૂર્વક ઓપરેશન થયેલ છે. અને આજે તા. ૧ નાં સાંજે ફરી કાલાવડ બસમાં લઇને આવશે.
આ અવસરે કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ વોરા, નગરપાલિકા પ્રમુખ અજમલભાઇ નકરાણી, જૈન કોર્પોરેટર મુકેશ મહેતા, વડાલા પાંજરાપોળના ટ્રસ્‍ટી પરેશ વોરા, જામજોધપુર તાલુકા ભાજપ પ્રભારી અભિષેક પટવા, આદિ અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. પ્રશાંત મહેતા, નિલેશ વોરા, જીજ્ઞેશ પટેલ, સંદીપ પટેલ, વાલજી ભરવાડ, હિતેષ પટેલ, જશ આશરા, વિનોદ પટેલ, જીજ્ઞેશ મહેતા, રિધ્‍ધિ બાવીસી, કોમલ દોશી, આદિ એ સેવા પ્રદાન કરેલ.
ઓપરેશન, દવા દાતા હેલ્‍પએજ ઇન્‍ડીયા, કન્‍ડકટ બાય શ્રીમતી શારદા જહાટકિયા મેમોરીટલ ટ્રસ્‍ટ, શ્રધ્‍ધાબેન, મનિષભાઇ જહાટકિયા આદિ એ કેમ્‍પનાં આયોજનનો પુરૂષાર્થ કરી અનેક માટે રાહબર બન્‍યા. દિવ્‍ય ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી શૈલેષભાઇ માંઉ, અશોકભાઇ કોઠારી ઉપસ્‍થિત રહેલ. ભવિષ્‍યમાં મેગા કેમ્‍પનું આયોજન કરવાની ભાવના વ્‍યકત કરેલ. કેમ્‍પમાં આવનાર તમામને સવારે નાસ્‍તો તથા બપોરે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

 

(10:48 am IST)