Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પૂ.હરિચરણદાસજી મહારાજની પ્રાર્થના સભામાં ભાવિકો દ્વારા પુષ્‍પાંજલી

સંતો-મહંતો, રાજકીય, સામાજીક,આગેવાનો સહિત ભકતજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત

ગોંડલ : પૂ.હરિચરણદાસજી મહારાજની પ્રાર્થના સભામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા. તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧: બ્રમ્‍હલીન સદગુરુદેવ પૂ. હરિચરણદાસજી મહારાજને શ્રદ્ધા સુમન અર્પવા રામજી મંદિરનાં પટાંગણ માં સાંજે પાંચથી સાત દરમિયાન રખાયેલી પ્રાથના સભામાં ગુજરાતભરમાંથી હરિભકતો તથા સાધુ સંતો મહંતો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પુ.સદગુરુદેવ ને ભાવાજંલી અર્પણ કરી સદગુરુદેવ સાથેનાં સંસ્‍મરણો વ્‍યક્‍ત કર્યા હતા.

પટાંગણમાં વિશાળ સમિયાણાંમા યોજાયેલ પ્રાર્થના સભામાં કર્ણાટકનાં પુર્વ ગર્વનર વજુભાઇ વાળાએ ગદગદ ભાષા મા પુ.સદગુરૂદેવના સંસ્‍મરણો વ્‍યકત કર્યા હતા.ઉપરાંત સ્‍થાનિક આગેવાનો ગણેશભાઈ જાડેજા,પ્રફુલભાઈ ટોળીયા, અલ્‍પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પિપળીયા, યતિષભાઈ દેસાઈ સહીતે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.ભકતજનોના અભુતપુર્વ દ્યસારા વચ્‍ચે સ્‍વયં સેવકોએ વ્‍યવસ્‍થા જાળવી હતી. સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપરાંત ભુવનેશ્રરી પીઠ ના પુ.દ્યનશ્‍યામજી મહારાજ સહીત સૌરાષ્ટ્ર ભર માથી સંતો મહંતો હાજર રહી પુ.સદગુરુદેવ ને શ્રધ્‍ધાસુમન અપઁણ કર્યા હતા

(10:34 am IST)