Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કોઠારિયા કોલોનીના કવાર્ટરમાં વૃધ્‍ધનો ગળાફાંસો ખાઇ આપઘાત

વૃધ્‍ધ સુખદેવસિંહ જાડેજા થોડા દિવસથી ડીપ્રેશનમાં રહેતા'તા : કારણ અકળ

રાજકોટ તા. ૩૦ : સોરઠીયા વાડી સર્કલ પવન ચોકમાં કોઠારીયા કોલોની કવાર્ટરમાં રહેતા વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.  મળતી વિગત મુજબ કોઠારિયા કોલોની કવાર્ટર નં. ૩૯માં રહેતા સુખદેવસિંહ નવુભા જાડેજા (ઉ.૬૦) એ ગઇકાલે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્‍ની તેને બોલાવવા જતા તે રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્‍ધનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે પી.એસ.આઇ. બી.યુ.પીઠડીયાએ જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.જી.રોહડીયા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક સુખદેવસિંહ નિવૃત્ત જીવન ગાળતા હતા તે થોડા દિવસથી ડીપ્રેશનમાં રહેતા હોવાનું જાણવા મળ્‍યું છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(4:18 pm IST)