Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રેલનગર આસ્‍થા ચોક પાસે કારમાં ચોટીલાના બે શિક્ષક સહિત ત્રણ નશાની હાલતમાં પકડાયા

દિવમાં મહેફીલ માણી ચોટીલા જતા'તા પ્રનગર પોલીસે ચોટીલાના : હિતેષ, પ્રતિક અને સાગરગીરી સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૦ : રેલનગર આસ્‍થા ચોક નજીક પ્રનગર પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન કારમાંથી ચોટીલાના બે શિક્ષક સહિત ત્રણ શખ્‍સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ રેલનગર વિસ્‍તારમાં પ્રનગર પોલીસ મથકના કોન્‍સ મનેભસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજા સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે રેલનગર આસ્‍થા ચોકથી શિવાલય ચોક તફરના રસ્‍તે પસાર થતી જીજે-૩૬ બી.-૧૩૮૭ નંબરની વોકલવેગન કારને શંકાના આધારે રોકી કાર ચાલક પાસે લાયસન્‍સ તથા કારના કાગળો માગતા ચાલક નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે તપાસ કરતા કારમાં બેઠેલા અન્‍ય બે વ્‍યકિત પણ નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે ત્રણેયના નામ પુછતા પ્રતિક નટવરભાઇ પરમાર (ઉ.ર૬) (રહે. ચોટીલા પંચનાથનગર), હિતેષ બાબુલાલભાઇ ગંગવાણી (ઉ.ર૭) (રહે. ચોટીલાના મારૂતીનગર સોસાયટી) અને સાગરગીરી મિનાક્ષીબેન ગોસ્‍વામી (ઉ.રપ) (રહે. ચોટીલાના સુખનાથ મહાદેવ મંદિર પાસે) નામ આપ્‍યા હતા પોલીસે ત્રણેયને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પોલીસની પુછપરછમાં હિતેષ અને સાગરગીરી શિક્ષક તરીકે નોકરી કરે છે. ત્રણેય દીવથી મહેફીલ માણી ચોટીલા જતા હતા ત્‍યારે રાજકોટ રેલનગર આસ્‍થા પોકડી નજીક જમવા માટે ઉભા રહ્યા હતા. આ કામગીરી પી.આઇ.કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.સી. રાણા, હેડ કોન્‍સ ડી.પી.ડાંગર, અનોપસિંહ યુવરાજસિંહ અને મહાવીરસિંહ અને યુવરાજસિંહ ઝાલા, દ્વારા કરવામાં આવી હતી

(3:26 pm IST)