Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સેન મહારાજ મિત્ર મંડળ અને સમગ્ર વાળંદ સમાજ પોપટપરા-રેલનગર દ્વારા સેન મહારાજની ૭૨૨ મી જન્‍મ જયંતિની ઉજવણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ખાસ ઉપસ્‍થિતઃ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા વિશાળ સંખ્‍યામા લોકો જોડાયા

રાજકોટ, તા. ૩૦ : સમગ્ર વાળંદ સમાજ ના સંત સેન મહારાજ નો ૭૨૨ મી જન્‍મ જયંતિ શ્રીસેન મહારાજ મિત્ર મંડળ પોપટપર-રેલનગર વિસ્‍તાર અને સમગ્ર વાળંદ સમાજ દ્વારા રેલનગર વિસ્‍તાર મા આવેલ ડો.હેગડેવાર ટાઉનસિપ ખાતે  સમુહ આરતી, કેક કટીંગ અને મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજન કરવામા આવ્‍યુ હતુ.

આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ઉપસ્‍થિત રહી પુજય સેન મહારાજ ના જીવનનો સંદેશ  સાએ જીલી ઉતમ સમાજ નુ નિર્માણ કરવા શિક્ષણ અને સંગઠનને મહત્‍વ આપી સમયની સાથે ચાલી પ્રગતિ કરવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત કાર્યક્રમ મા ઉપસ્‍થિત કોંગ્રેસ અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા  સમાજના કર્મચારી મંડળ ના સૌ હોદ્દેદારો શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાથી આવેલા સમાજના આગેવાનો સર્વે નિલેશભાઈ ગોહેલ  સુનિલભાઈ સુરાણી, મહેશભાઈ રાઠોડ રમેશભાઈ સુરાણી, કેયુરભાઈ ભટ્ટી વસંતભાઈ કલોલા ચંદ્રેશભાઈ છત્રોલા પોતાના વક્‍તવ્‍યો આપ્‍યા  હતા વિસ્‍તાર ના સ્‍થાનિક મહીલા અગ્રણી ભાવના બેન કલોલા એ કેશ-કલા બોર્ડ બનાવવાની માંગ બાબતે ચાલતી સહી ઝુંબેશ ની વિગતો આપી હતી કાર્યક્રમ અંદાજીત ૧૦૦૦ જેટલા લોકોએ ઉપસ્‍થિત રહી મહાપ્રસાદ લીધો હતો.

 આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થા ના પ્રમુખ દિલીપભાઈ ગોહેલ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ભટ્ટી  મંત્રી નિલદીપ રાઠોડ કેતનભાઈ હિરાણી  મનીષભાઈ વિઠ્ઠલપરા  સહીતના સૌ આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)