Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વોર્ડ નં. ૧૬માં યુધ્‍ધના ધોરણે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલાયો

સામાજીક કાર્યકર બુખારીબાપુની રજુઆત સફળ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૬ માં છેલ્લા ૬ મહિના જુનો ભૂગર્ભ ગટરની સમસ્‍યા ઉકેલાય હતી. વિસ્‍તારના સામાજીક કાર્યકર બુખારી બાપુએ આ પ્રશ્ને કોર્પોરેટરને અનેક વખત રજુઆત કરી હતી પરંતુ સમસ્‍યા જૈસે થે જોવા મળી હતી. આ વિસ્‍તારની ભૂગર્ભ ગટર સફાઇ પ્રશ્ને મ્‍યુનિ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત તંત્રએ ધ્‍યાનમાં લઇ યુધ્‍ધના ધોરણે સફાઇ હાથ ધરતા વિસ્‍તારવાસીઓ એ રાહતનો શ્વાસ લીધો હતો. આમ સામાજીક કાર્યકરની રજુઆત સફળતા થઇ હતી.

(3:17 pm IST)