Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

નવાગામ રંગીલામાં નિલેષભાઇ મકવાણા સુતા બાદ ઉઠ્યા જ નહિ બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા પણ મૃતદેહ જ પહોંચ્યો

સવારે કામે વહેલા જવાનું હોઇ પત્નિને જગાડવાનું કહ્યું હતું

રાજકોટ તા. ૨૮: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં નિલેષભાઇ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૩૫) નામના કોળી યુવાન સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર નિલેષભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. નિલેષભાઇ કારખાનામાં ભઠ્ઠીખાતામાં કામ કરતાં હતાં. તેને આજે સવારે વહેલા કામે જવાનું હોઇ રાતે પત્નિ ભાવનાબેનને વહેલા ઉઠાડવા કહ્યું હતું. પત્નિ સવારે સાડા પાંચ વાગ્યે જગાડવા ગયા ત્યારે નિલેષભાઇ ન જાગતાં બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જણાવાયું હતું. બી-ડિવીઝન પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી. (

(3:37 pm IST)