Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી હરિચરણદાસજી બાપુનું મહાપ્રયાણ, છેલ્લા લાંબા સમયથી બીમાર હતા, આજે તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા, ગોરા આશ્રમમાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે, બાપુની તબિયત નાદુરસ્તના સમાચાર મળતાની સાથે જ દેશ વિદેશમાં તેઓના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.

રાજકોટ આજે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની પરીક્ષા, રાજકોટ જિલ્લાના કુલ ૭૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, રાજકોટ જિલ્લાના ધોરણ ૧૦ ના 46,839 વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ ના 30391 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, સામાન્ય પ્રવાહના 23,292 અને સાયન્સ ના 7099 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધોરણ 10 માટે 39 કેન્દ્ર અને 175 બિલ્ડીંગ આવ્યા છે ફાળાવવામાં, જયારે ધોરણ 12 માટે  5 ઝોનમાં 80 બિલ્ડીંગ આવ્યા છે ફાળવવામાં, રાજકોટમાં કુલ 2292 બ્લોકમાં બેઠક વ્યવસ્થા આવી છે ગોઠવવામાં, તમામ કેન્દ્રો CCTV થી સજ્જ, કેમેરા દ્વારા કરાશે મોનીટરીંગ.

રાજકારણમાં જોડાવા મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ની પ્રેસ કોન્ફરન્સ. જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથ રીયારિપોર્ટ : નીલેશ શીશાંગીયા