Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

રાજસ્‍થાનના આઇ.એ.એસ. અધિકારી એ.કે. મિશ્રા બીએપીએસ સંસ્‍થાની મુલાકાતે

રાજકોટઃ રાજસ્‍થાનના આઇ.એ.એસ. અધિકારીશ્રી રાજકોટની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ કાલાવાડ રોડ ઉપર આવેલ બીએપીએસ મંદિરે આરતીનો લાભ લીધો હતો. પૂ. ઘનશ્‍યામ સ્‍વામીએ અધિકારીશ્રી એ.કે. મિશ્રાનું ફુલહારથી સન્‍માન કર્યું હતું. શ્રી મિશ્રાએ પોતે રાજસ્‍થાનમાં મંદિર સમયે કેવી કેવી રીતે દર્શન સમયે અલગ અલગ મુખારવિંદની આકૃતિ તેમણે પોતે કરીને ભકતોને બતાવી હતી. તેમ કિરણ રાચ્‍છની યાદીમાં જણાવાયું છે. 

(2:36 pm IST)