Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પ્રજાસત્તાક દિને રોડ સેફટી ઓથોરિટીના નિષ્‍ણાંત જે.વી.શાહનું સન્‍માન

રાજકોટ : પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે આર.ટી.ઓ.ના નિવૃત્ત અધિકારી અને રોડ સેફટી ઓથોરિટીના નિવૃત્ત સી.ઈ.ઓ. શ્રી જે.વી. શાહનું પ્રશસ્‍તિ પત્ર આપી સન્‍માન કરાયું હતું. શ્રી  જે.વી. શાહ માર્ગ સલામતી,  ટ્રાફિક અવેરનેસ, ઓર્ગન  ડોનેશન, ગુડ સમેરીટન જનજાગૃતિ વગેરે જેવા અનેકવિધ પ્રોગ્રામ સાથે જોડાયેલા રહ્યા છે.  આર.ટી.ઓ. માં કામગીરી દરમ્‍યાન તેઓશ્રીએ અકસ્‍માતમાં ૩૦ થી વધુ ઘાયલોને સ્‍થળ પર ઇમર્જન્‍સી સારવાર તેમજ હોસ્‍પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની ગુડ સમરિટનની ભૂમિકા ભજવેલી છે. માર્ગ અકસ્‍માતમાં અનેક ઘાયલોની અમૂલ્‍ય જિંદગી બચાવવામાં સહભાગી થવા બદલ  શ્રી જે.વી. શાહનું દિલ્‍હી ખાતે વાહન વ્‍યવહાર મંત્રીશ્રી નીતિન ગડકરીના હસ્‍તે વર્ષ ૨૦૨૧ માં સન્‍માન કરાયું હતું. વર્ષ ૨૦૨૦-૨૧ માં રોડ સેફટી એજયુકેશન પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમે આવવા બદલ રોડ સેફટી એવોર્ડથી તેમને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. વર્ષ ૨૦૨૦ માં રોડ સેફટીનીસ્‍ટોકહોમ ખાતે યોજાયેલી ગ્‍લોબલ મિનિસ્‍ટ્રીયલ કોન્‍ફરન્‍સમાં શ્રી જે.વી. શાહે ભારતનું પ્રતિનિધિત્‍વ કરેલું  હતું.

(3:32 pm IST)