Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે “કસુંબીનો રંગ” ઉજવણી કાર્યક્રમની તૈયારી માટે બેઠક મળી

તા.૨૮મી ઓગસ્ટ,૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે

રાજકોટ :રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે ૨૮મી ઓગસ્ટ શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં રાજકોટ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.

આવતીકાલે તા.૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાનાર કાર્યક્રમની તૈયારી માટે અધિક કલેકટર કે.બી.ઠકકરના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી. જેમાં આવતીકાલના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પુસ્તક વિતરણ સહિતના કાર્યક્રમ અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ મિટિંગમાં પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી ,યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા, સરકારી લાઈબેરીના અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:52 pm IST)