Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ઘંટેશ્વર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં વૃધ્ધ દેવીદાનભાઇ ગઢવીનો ફાંસો ખાઇ આપઘાત

વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી પગલું ભર્યું

રાજકોટ તા. ર૭: જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર રપ વારિયા કવાર્ટરમાં માનસિક બિમારીથી કંટાળી ગઢવી વૃધ્ધે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્વર રપ વારિયા કવાર્ટરમાં રહેતા દેવીદાનભાઇ ગોવિંદભાઇ ગઢવી (ઉ. ૬પ) નામના વૃધ્ધે પોતાના ઘરે ઉપરના રૂમમાં લોખંડની આડસ સાથે ચાદરબાંધી ગળેફાંસો ખાઇસ આપઘાત કરી લીધો હતો.

મૃતક વૃધ્ધ નિત્યક્રમ મુજબ યોગાસન કરવા ઉપરના રૂમમાં ગયા હતા પરંતુ ઘણો સમય થવા છતાં પરત ન આવતા પરિવારજનોને શંકા ઉપજી હતી જેથી તપાસ કરતા મૃતક વૃધ્ધ લટકતી હાલતમાં મળી આવ્યા હતા બાદ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના તબીબે તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરી પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ હુંબલ અને રાઇટર શીવભદ્રસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં તેમને માનસીક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખઁુલવા પામ્યું છે. 

(4:11 pm IST)