Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મહત્વના સૈન્ય દળોમાંથી દિવ્યાંગો માટે અનામત હટાવાતા દેશભરમાં પ્રચંડ રોષ

કલેકટરને આવેદન : વટહુકમ પાછો ખેંચો અથવા અન્ય વિભાગમાં કવોટા વધારો

રાજકોટના દિવ્યાંગ ઉમેદવારોએ કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે. 

રાજકોટ, તા. ર૭ :  રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટીના રાજકોટ એકમે કેન્દ્રના સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે આઇ.પી.એસ. રેલ્વે સુરક્ષાદળ,  આંદામાન નિકોબાર, દિલ્હી, લક્ષદિપ, દમન, દીવના પોલીસ દળ અને મહત્વના સેનાદળના પદો પરથી વિકલાંગો માટેના અનામત હટાવી લેવાયું છે, તો બીએસએફ, સીઆરપીએફ આસામ રાઇફલમાંથી અનામત હટાવાયું છે. આથી દેશભરના વિકલાંગોમાં પ્રચંડ રોષ છે. આ વટહુકમને તાત્કાલિક પરત ખેંચો અથવા  તો સરકારના અન્ય વિભાગોની નોકરીમાં અનામત કવોટામાં વધારો કરો નહીં તો ભવિષ્યમાં દિવસોમાં રાષ્ટ્રીય વિકલાંગો પાર્ટી વિસ્તૃત આંદોલન કરશે.

(3:21 pm IST)