Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પૂ. રાધારમણ સ્વામિ, પૂ. વિવેકસાગર સ્વામી તથા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી સહિતની ઉપસ્થિતિમાં નંદમહોત્સવ યોજાયો : જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ

(દર્શન મકવાણા દ્વારા) : રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે શ્રી રાધે-રાધે એજ્યુકેશન ્રૂ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન   તથાસ્તુ વિદ્યાપીઠ ના લાભાર્થે આયોજિત દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં શ્રી મદ ભાગવત માસ પારાયણ ના ૧૮ માં દિવસે પૂ.જીજ્ઞેશદાદા (રાધે-રાધે) ના વ્યાસાસને નંદ મહોત્સવ સંપન્ન થયો હતો.આ નંદમહોત્સવ માં લોકસાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી તથા રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.રાધારમણસ્વામી, રાજકોટ બાલાજી મંદિરના પૂ. વિવેકસાગર  સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં આ નંદ મહોત્સવ યોજાયો હતો.તે તસવીર નજરે પડે છે.તથા આગામી તારીખ ૩૦/૮/૨૦૨૧ ને સોમવારના રોજ જન્માષ્ટમીની રાત્રે ૮.૩૦થી ૧૨ દરમ્યાન પૂ. જીજ્ઞેશદાદા (રાધે-રાધે) ની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે તેમ જણાવાયુ છે.

(3:20 pm IST)