Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રામરણુજા સોસાયટીમાં પાણીપુરીના ધંધાર્થી મુકેશનું બેભાન હાલતમાં મોત

રણછોડનગરના બંગાળી યુવાને બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૭: કોઠારીયા રામ રણુજા સોસાયટી-૪માં રહેતો અને પાણીપુરી વેંચી ગુજરાન ચલાવતો મુળ મધ્યપ્રદેશનો મુકેશ કલુભાઇ બાથમ (ઉ.વ.૩૦) રાતે સાડા નવેક વાગ્યે અચાનક ઘરે બેભાન થઇ જતાં પડોશીઓએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીનસે જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં રણછોડનગર-૧૦માં કુવાડવા રોડ ગોકુલ હોસ્પિટલ સામેના ભાગે ભાડેથી રહેતો મુળ બંગાળનો રઘુપતિ સતકારીભાઇ હાતી (ઉ.વ.૪૩) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક દિકરી છે. પોતે સોની કામ કરી ગુજરાન ચલાવતો હતો.

(1:03 pm IST)