Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે, જન્માષ્ટમી ધ્યાનોત્સવ

જપાકર-જપાકર મનસે જપાકર - હરીઓમ તત્સત્ત તસત્ ધ્યાન ક્રિષ્ના-ક્રિષ્ના રાધેક્રિષ્ના કિર્તન ધ્યાન

રાજકોટઃ  ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે  નિયમીત છેલ્લા ૩૬ વર્ષથી અવાર-નવાર ઉત્સવો ઉજવવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

તા.૩૦ને સોમવારના રોજ જન્માષ્ટમી તથા શ્રાવણમાસનો ૪થો સોમવારને અનુલક્ષીને હર વર્ષની માફક આ વર્ષે પણ રાબેતા મુજબ સાંજે ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન ક્રિષ્ના-ક્રિષ્ના રાધેક્રિષ્ના કિર્તન ધ્યાન તથા જપાકર જપાકર મનસે જપાકર હરિઓમ ત્તસત ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત ધ્યાનોત્સવના કાર્ર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઇનર સર્કલે અનુરોધ કરેલ છે.

 સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં-૪ વૈદ્યવાડી ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:54 am IST)