Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

૨૭ બીન હથિયારી પીઆઇની બદલીઃ રાજકોટના એસ. એન. ગડ્ડુને પુર્વ કચ્છ ગાંધીધામ મુકાયા

ગીર સોમનાથના વી. આર. રાઠોડ અને દેવભુમિ દ્વારકાના વી. વી. વાગડીયાની રાજકોટ સીટીમાં નિમણુંકઃ જુનાગઢ, મોરબી, જામનગર, અમરેલીના પીઆઇની પણ બદલી

રાજકોટ તા. ૨૭: રાજ્યના ૨૭ બીન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ કર્યો છે. જેમાં રાજકોટ શહેરના એક પીઆઇનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ શહેરમાં ગીર સોમનાથ અને દેવભુમિ દ્વારકાના બે પીઆઇની બદલી સાથે નિમણુંક થઇ છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચના પીઆઇ એસ. એન. ગડ્ડુને ગાંધીધામ પુર્વ કચ્છ ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે ગીર સોમનાથના વી.આર. રાઠોડ તથા દેવભુમિ દ્વારકાના વી. વી. વાગડીયાને રાજકોટ શહેરમાં નિમણુંક અપાઇ છે.

આ ઉપરાંત એસીબીના પી. ડી. બારોટને જીઇબી, સીઆઇડી ક્રાઇમના કે. બી. રાજવીને અમદાવાદ સીટી, બનાસકાંઠાના કે. એસ. ચોૈધરીને અમદાવાદ સીટી, જુનાગઢના પી. એન. ગામેતીને સાબરકાંઠા, જીઇબીના આઇ. ટી. દેસાઇને અમદાવાદ સીટી, સુરતના આર. એન. પટેલને અમદાવાદ રિડર, નવસારીના એમ. બી. રાઠોડને સુરત શહેર, વડોદરાના એ. કે. વડીયાને ભરૂચ, મોરબીના એચ. એન. રાઠોડને અમદાવાદ સીટી, પાટણના ડી. વી. ડોડીયાને બનાસકાઠા, જામનગરના એસ. એચ. રાઠવાને વડોદરા, સીઆઇડી ક્રાઇમના એ. પી. પરમારને અમદાવાદ શહેર, એન. કે. રાઠવાને વડોદરા ગ્રામ્ય, જે. જે. વસાવાને વડોદરા શહેર, ગાંધીનગરના ડી. જી. તડવીને વડોદરા ગ્રામ્ય, સુરતના યુ. એ. ડાભીને અમદાવાદ સીટી, અમરેલીના જી.આર. રબારીને પાટણ, પશ્ચિમ કચ્છ ભુજના શ્રીમતી પી. એચ. લખધીરકાને મોરબી, ખેડાના પી. બી. સંઘાણીને સીઆઇડી ક્રાઇમ, મહેસાણાના પી. એ. પરમારને દેવીભુમિ દ્વારકા, ખેડાના એચ. સી. ઝાલાને અમદાવાદ સીટી, ઇન્ટેલીજન્સના જે. બી. અસોડીયાને બનાસકાંઠા તથા જી. પી. પરમારને અમદાવાદ ગ્રામ્યમાં તેમજ સીઆઇડી ક્રાઇમના આર. બી. ભટોળને સુરત ગ્રામ્યમાં બદલાવવામાં આવ્યા છે.

ટ્રાફિક બ્રાંચના પી.આઇ. એસ. એન. ગડ્ડુએ અગાઉ થોરાળા, એસઓજીમાં નોંધપાત્ર ફરજ બજાવી હતી. થોરાળામાં તેમની ફરીથી નિમણુંક કરવા અવાર-નવાર માંગણીઓ કરવામાં આવી હતી. હાલમાં ટ્રાફિક બ્રાંચમાં પણ તે કડકાઇથી ફરજ બજાવવા માટે જાણીતા બન્યા હતાં.

(11:48 am IST)