Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જૈન સોશ્‍યલ ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્‍પ

રાજકોટ તા. ૨૬ : શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી જૈન સોશ્‍યલ ગ્રુપ  દ્વારા કાલે તા. ૨૭ ના રવિવારે રકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે સીવીલ હોસ્‍પિટલના જરૂરતમંદ દર્દીઓ અને થેલેસેમીક બાળકોને સમયસર અને રકતનો જથ્‍થો મળી રહે તે હેતુથી આ રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે.

રોટરી ગ્રેટર ભવન, વિદ્યાનગર મેઇન રોડ ખાતે કાલે તા. ૨૭ ના રવિવારે સવારે ૮.૩૦ થી ૧ દરમિયાન યોજાનાર આ રકતદાન કેમ્‍પમાં વધુને વધુ સંખ્‍યામાં રકતદાન કરવા અનુરોધ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જૈન સોશ્‍યલ ગ્રુપ અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના આકાશભાઇ લાલાણી, રવિ વસા, રાજન બાટવીયા, વિમલ પારેખ, વૈભવ વખારીયા, કૃનાલ મહેતા, વિનયભાઇ જસાણી, સતીષભાઇ સાગઠીયા, દીપ કોટેચા, પરેશભાઇ કાલાવડીયા, હિતેશભાઇ સાપોવડીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:50 pm IST)