Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

તમામ વોર્ડના બુથમાં કાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ‘મન કી બાત' કાર્યક્રમ

રાજકોટ,તા. ૨૬ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દર માસના અંતિમ રવિવારે નરેન્‍દ્રભાઈ મોદી ‘મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. લોકો પણ પોતાના વિચારો રજુ કરે છે.પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે.

‘મન કી બાત'નું આકાશવાણી અને દુરદર્શન ના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના  અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યૂ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્‍ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના બુથમાં  આવતીકાલે તા.ર૭ના રવિવારે સવારે ૧૧ કલાકે રજૂ થશે. તમામ શ્રેણીના કાર્યકરોએ આ કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે.

પ્રદેશ ભાજપની યોજનાનુસાર ‘મન કી બાત' કાર્યક્રમ ને વધુને વધુ બુથો સુધી પહોંચાડવા માટે  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહાનગર કક્ષાએ વિરેન્‍દ્રસિંહ ઝાલાને તથા વિધાનસભા-૬૮માં અશોક લુણાગરીયાને, ૬૯ માં પરેશ હુબંલને, ૭૦માં દીવ્‍યરાજસિંહ ગોહિલને તેમજ ૭૧માં રાજુભાઈ બોરીચાને જવાબદારી સોંપાઈ તેમજ તમામ વોર્ડમાં વોર્ડપ્રભારી-વોર્ડપ્રમુખ જવાબદારી સંભાળશે. 

(4:01 pm IST)