Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જેતપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતા હર્ષાબેન ગોહેલનું મોત

મહિલાએ રાજકોટની હોસ્‍પિટલમાં દમતોડી દેતા આક્રંદ

રાજકોટ,તા. ૨૬ : જેતપુર ચોકડી પાસે અજાણ્‍યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા નવાગઢની મહિલાનું રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ જેતપુર નવાગઢમાં રહેતા હર્ષાબેન મહેન્‍દ્રભાઇ ગોહેલ (ઉવ.૩૬) ગઇ કાલે બાઇક પર જતા હતા. ત્‍યાર જેતપુર ચોકડી પાસે અજાણ્‍યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા હર્ષાબેન ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ હર્ષાબેનને સારવાર માટે જેતપુર બાદ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ બનાવ અંગે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)