Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ગવરીદળ પાસે વાડીમાં પાણી વાળવા બાબતે મોટાભાઇએ ઠપકો આપતા ભાવનાનો આપઘાત

ત્રણ દિવસ પહેલા સગીરાએ ઝેરી દવા પી લીધી'તી : રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૬ : ગવરીદળ પાસે વાડીમાં ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પી લેનાર સગીરાએ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ છોટા ઉદેપુરની હાલ ગવરીદળમાં ખોડાભાઇ રાઠોડની વાડીએ પરિવાર સાથે રહેતી ભાવના શૈલેષભાઇ રાઠવા (ઉ.૧૭) ગત તા. ૨૩ના રોજ તેના મોટાભાઇએ વાડીમાં પાણી વાળવા બાબતે ઠપકો આપતા તેણે ઝેરી દવા પી લીધી હતી. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. મૃતક ભાવના એક ભાઇ અને એક બહેનમાં નાની હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:46 pm IST)