Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પ્રખર ધારાશાસ્ત્રી - ગુજરાત ભાજપ લીગલ સેલના સહ કન્વીનર અનીલભાઇ દેશાઇનો જન્મદિવસ

રાજકોટ : સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી ગુજરાત ભાજપ લીગલ સેલના સહ કન્વીનર અનીલભાઇ દેશાઇનો આજે જન્મદિવસ છે.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના બાલ્યવયથી સ્વંયસેવક તરીકે સક્રીય રીતે જોડાયેલા છે. અભ્યાસની સાથે સાથે રાજકોટના ભાજપના પ્રથમ મેયર અને પૂર્વ ધારાસભ્ય સ્વ. અરવીંદભાઈ મણિયારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જનસંઘ - ભાજપના કાર્યમાં સક્રીયઙ્ગ રીતે જોડાયેલા છે.ઙ્ગ ૧૯૮૨માં ધ્રોલ-જોડીયા અને કાલાવડ વિધાનસભાની પેટાચૂંટણી ઓમાં ૧૯૮૩ માં પોરબંદર લોકસભાની પેટા ચૂંટણીમાં તેમજ ૧૯૮૪માં ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીઓમાં તથા રાઘનપુરની ધારાસભાની પેટા ચૂંટણીમાં રાજકોટ શહેરની ટીમ સાથેઙ્ગ કેમ્પ કરીને ચુંટણી પ્રચારમાં સક્રિયતાથી જોડાયેલા છે. વકીલાતના વ્યવસાયમાં ૩૮ વર્ષનીઙ્ગ સફળ કારકિર્દી દરમિયાન ૧૯૯૮ થી ૨૦૦૩ સુધી રાજકોટ જિલ્લાના ડિસ્ટ્રિકટ ગવર્નમેન્ટ પ્લીડર(ઝ્રઞ્ભ્) અને પબ્લિક પ્રોસ્યુકટર તરીકેઙ્ગપણ જવાબદારી સંભાળી ચુકયા છે.ઙ્ગઙ્ગ

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં તમામ જિલ્લા મથકોની અને અન્ય શહેરો ની સેસન્સ કોર્ટમાં અતિ ચકચારી અને સંવેદનશીલ કેસોમાં ગુજરાત સરકાર વતી સ્પેશ્યલ પબ્લિક પ્રોસ્યુકટર તરીકે સેંકડો કેસમાં નિયુકિત કરવામા આવેલ છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રનાઙ્ગ જાહેરજીવનમાં અગ્રણીઓ, ધારાસભ્ય, સાંસદ વતી પણ અનેક કેસો લડી ચુકયા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનાઙ્ગ સેંકડો કેસમાં વકીલ તરીકે રહી ચૂકયા છે. સફળ વકીલાતની સાથે સાથે સૌરાષ્ટ્રના સૌથી વધુ વકીલોની સભ્યસંખ્યા ધરાવતાઙ્ગ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બે બે વાર જંગી બહુમતી થી વિજેતા બન્યા છે. એકવાર રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

૧૯૮૯થી આજદિન સુધીમાં તમામ લોકસભાની/વિધાનસભા/મહાનગરપાલિકાની ચૂંટણીમાંઙ્ગ ઙ્ગઆચાર સંહિતા, ચુંટણીને લગતા અને પોલીસ અને કોર્ટને લગતા કામ અવિરતપણે કરેલ છે. આ તમામ ચુટણીઓમાં મતદાનના દિવસે ભાજપના ચુંટણી કાર્યાલયમાંઙ્ગ ભાજપના એડવોકેટની ટીમ સાથે આખો દિવસ જવાબદારી સંભાળી રહ્યા છે. શ્રી અનિલભાઈ દેસાઈ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગુજરાત સરકારના બોર્ડ, નિગમો, રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, સરકારી વીમા કંપનીઓ, યુનિવર્સિટી, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(રૂડા) સહિત ૪૦ જેટલી સંસ્થાઓના પેનલ ઉપર એડવોકેટ તરીકે કાર્યરત છે.ઙ્ગ

રાજકોટ શહેરના પ્રાચીન મંદિર શ્રી 'પંચનાથ મહાદેવ મંદિર' ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમજ આ પરિસરમાંઙ્ગ તાજેતરમાં જ રૂપિયા ૨૦ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ 'પંચનાથ હોસ્પિટલ'માં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.  શહેરની વર્ષો જૂની અને જાણીતી સંસ્થા 'જૈન બાલાશ્રમ'માં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એકસચેન્જમાં 'સેબી'ના પ્રતિનિધિ તરીકે ડાયરેકટર તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. કોવિડ-૧૯માં રાજકોટની જાણીતી સેવાકીય સંસ્થા 'કાનુડા મિત્ર મંડળ'ના નેજા હેઠળ જરૂરિયાતવાળા કુટુંબોનેઙ્ગરાશનની કીટ, અન્ય સામાજીક સંસ્થાઓના રાહત રસોડામાં આર્થિક સહાય, બીજા રાજયોના મજૂરોને પોતાના વતનમાં જવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી કાનુડા મિત્રા મંડળ દ્વારા ૧૧૮ જેટલી રેલ્વે ટ્રેઇન મારફતે હજારો મજૂરોને ફૂડ પેકેટ અને બાળકો માટે રમકડાં અને પીવાના પાણીની સગવડ સાથે રાજકોટ જંકશનથી રવાના કરવાની સૌથી મોટી કામગીરીઙ્ગ કરેલી હતી.

શ્રી અનિલ દેસાઈના જન્મદિવસ નિમિત્તે તેમના કુટુંબીજનો, મિત્રો તેમજ તેમના બહોળા ચાહક વર્ગ શુભેચ્છાઓ, શુભકામનાઓ અને અભિનંદન વર્ષા તેમના મોબાઈલ નંબરઙ્ગ૯૮૨૪૦ ૪૩૭૮૯ ઉપરઙ્ગ કરી રહ્યા છે.

(4:20 pm IST)