Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ખાદ્યતેલોમાં મંદીઃ સીંગતેલમાં ૧પ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. તૂટયા

રાજકોટ, તા., ર૧:  નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલોમાં મંદી યથાવત રહી છે આજે સીંગતેલમાં ૧પ રૂા. અને કપાસીયા તેલમાં ૧૦  રૂા. ઘટયા હતા. સ્‍થાનીક બજારમાં કાચા માલની આવકો વધ્‍યાના અહેવાલે સીંગતેલમાં ૧પ રૂા. ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧પ૧પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૫૦૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૩૦ થી ૨૬૮૦ રૂા. હતા તે ઘટીને ર૬૧પ થી ર૬૬પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૪૦ રૂા. હતા તે ઘટીને ૧ર૩૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ  રર૮૦ થી ર૩૩૦ રૂા. હતા તે ઘટીને રર૭૦ થી ર૩ર૦ રૂા. થયા હતા.

(3:30 pm IST)