Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જોશી પરિવાર યોજીત ભાગવત કથાની કાલે પૂર્ણાહુતિઃ બુધવારે વિષ્ણુયાગ યજ્ઞ

રાજકોટ તા.૨૧: ડો.વિનોદરાય એન જોશીના પુત્ર ડો.દિક્ષીતભાઇ જોશી તેમજ અમિતભાઇ જોશી પરિવારના નિવાસસ્થાને સમીર, ૨/૬ બાલમુકુંદ પ્લોટ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ, ખાતે સર્વપિતૃઓના મોક્ષાર્થે તથા આત્મકલ્યાણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન આચાર્ય શાસ્ત્રી શ્રી પ.પૂ.હિતેષભાઇ યુ.મહેતા (જેતલસરવાળા) કથાના પાવન અવસરોનું શ્રવણ કરાવી રહયા છે. કથાની પૂર્ણાહુતિ મંગળવાર, તા.૨૨ના થશે. કથાની પૂર્ણાહુતિ પ્રસંગે તા.૨૩ને બુધવારે વિષ્ણુયાગ યજ્ઞ થશે. આજ દિવસે બપોરે ૧૨.૩૦ કલાકે પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલારોડ સામે મહાપ્રસાદનું આયોજન કરેલ છે જેમાં સર્વેને પધારવા જોશી પરિવાર તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

(3:29 pm IST)