Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ચેકરિટર્ન કેસમાં સજાના હુકમ બાદ અપીલમાં હાજર નહિ થતાં આરોપીને જેલ હવાલે કરાતા રકમ ચુકવી દીધી

રાજકોટ તા.૧૯ : અતરે ૩૯-લાખના ચેક રીટર્ન કેસમાં સેશન્‍સ કોર્ટે આરોપીને જેલ હવાલે કરતા રકમ ચુકવી સમાધાન કરી લીધું હતું.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના કુવાડવા રોડ ઉપર રણછોડનગર સોસાયટીના શેરી નં.૭ માં રહેતા પરેશકુમાર હરીલાલ બાબરીયાએ તેમના વર્ષો જુના અંગત મીત્ર કિરીટભાઇ ગોરધનભાઇ કોઠીયા રહે બ્‍લોક નં. ૬પ, પુજા પાર્ક-૩, માયાણી ચોક, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજકોટવાળાને આર્થિક મદદ માટે હાથ ઉછીના રોકડા રૂા.૩૯,૬૦,૦૦૦ અંકે રૂપિયા ઓગસ ચાલીસ લાખ સાંઇઠ હજાર. આપેલા હતા તે રકમ પરત ચુકવવા માટે કિરીટભાઇએ કુલ ચાર ચેક આપેલા જે તમામ ચેક બિનચુકતે પરત ફરતા ફરીયાદીએ વકીલ મારફત રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્‍ટ્રુ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ કુલ બે કેસ કરેલા હતા જે બન્ને કેસમાં સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ. જે બન્ને કેસમાં એક-એક વર્ષની સજા તથા દિવસ ૬૦ માં ચેક મુજબની રકમ ચુકવી અને જો દિવસ ૬૦ માં રકમ ન ચુકવે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ કરેલ હતો.

ત્‍યારબાદ આરોપીએ સજાના હુકમ સામે રાજકોટની સેશન્‍સ કોર્ટમાં અપીલ દાખલ કરતા સેશન્‍સ કોર્ટે ર૦% રકમ જમા કરાવ્‍યે અપીલના જામીન આપેલ હતા ત્‍યારબાદ અપીલ ચાલી જતા જજમેન્‍ટના સ્‍ટેજે આરોપીને જેલ હવાલે કરતા બે દિવસમાં ફરીયાદીને રકમ ચુકવી સમાધાન કરી લીધેલ. આ કેસમાં મુળ ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(3:32 pm IST)