Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

આશારામ બાપુનો ગુરૂવારે અવતરણ દિવસઃ અખંડ જયોત દર્શન- ભજન કિર્તનના કાર્યક્રમો

રાજકોટઃ સંતશ્રી આશારામજી આશ્રમ (ન્‍યારી ડેમ પાસે, કાલાવડ રોડ) ખાતે તા.૨૧ના ગુરૂવારના રોજ આરામજી બાપુના અવતરણ દિવસ નિમિતે ઉત્‍સવનું આયોજન થયેલ છે.

આ નિમિતે આશ્રમમાં સવારે ૧૦ વાગ્‍યાથી ધાર્મિક કાર્યક્રમો જેવા કે ગુરૂ પાદુકા પુજન, સ્‍તોત્ર પાઠ, ભજન- કીર્તન, શ્રી આસરામાયણના પાઠ, પુજય બાપુનો વિડીયો સત્‍સંગ, ધ્‍યાન વિગેરે કાર્યક્રમો થશે.

આ અવસરે આશ્રમ ખાતે પૂજય બાપુ દ્વારા ૨૦ વર્ષથી પ્રજવલિત અખંડ જયોતના પણ દર્શન થશે, કાર્યક્રમ બાદ બપોરે ૧ વાગે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. યોગ- વેદાંત સમિતિ તરફથી રાજકોટની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ અપાયું છે. વધુ વિગત માટે  ફોન ૦૨૮૧- ૨૯૨૭૭૪૪ ઉપર સંપર્ક થઈ શકશે.અત્રે નોંધનીય છે કે આ દિવસ આખા વિશ્વમાં સેવા- સત્‍સંગ દિવસ તરીકે મનાવાય છે. આ નિમિતે તા.૨૧ના રોજ સોરઠીયાવાડી ચોક ખાતે ૯ વાગ્‍યાથી છાશ વિતરણ કરવામાં આવશે.

(3:12 pm IST)