Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નકલંક સોસાયટી હનુમાન મંદિરે ગુરૂવારથી શ્રી રામચરિત માનસ નવાહ જ્ઞાનયજ્ઞ

શાષાી મહેશભાઈ દવે કથાનું રસપાન કરાવશેઃ શિવચરિત્ર, શ્રી રામ જન્‍મોત્‍સવ, રામ વનવાસ સહિતના પ્રસંગો ઉજવાશે

રાજકોટઃ માંડા ડુંગર વિસ્‍તાર, નકલંક સોસાયટી આવેલ હનુમાન મંદિરે તા.૨૧ના ગુરૂવારથી તા.૨૯ શુક્રવાર સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે વ્‍યાસપીઠ ઉપર લીંબડીના નાગનેસ નિવાસી શાષાી મહેશભાઈ રતીલાલ દવે (મો.૯૯૭૯૩ ૦૦૨૭૬) બીરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન શ્રી શિવચરિત્ર તા.૨૨ શુક્રવાર, શ્રી રામ જન્‍મોત્‍સવ તા.૨૩ શનિવાર, શ્રી રામ બાલ લીલા મો.૨૪ રવિવાર, શ્રી રામ વિવાહ તા.૨૫ સોમવાર, શ્રી રામ વનવાસ તા.૨૬ મંગળવાર, શ્રી ભરત મિલાપ તા.૨૭ બુધવાર, સિતાહરણ તા.૨૮ ગુરૂવાર, રામ રાજયાભિષેક તા.૨૯ શુક્રવારના ઉજવાશે.

કથા સ્‍થળ- શ્રી નકલંક સોસાયટી હનુમાન મંદિરે, નકલંક સોસાયટી, માં હિંગળાજ પાનવાળી શેરી, રાધેક્રિષ્‍ના  કોલ્‍ડ્રીંકસની સામે, માંડા ડુંગર વિસ્‍તાર રાજકોટ. ધર્મપ્રેમીજનોને કથામૃતનો લાભ લેવા  (માંડા ડુંગર) નકલંક સોસાયટીના રહિશોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(3:11 pm IST)