Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જીરાવાલા પાર્શ્‍વનાથ જિનાલયે ચૈત્રી પુનમે સિધ્‍ધચક્રજીનું માંડલું રચવામાં આવ્‍યું

શેત્રુંજય ગીરીરાજપટના દર્શનની ઉજવણી કરાઇ

રાજકોટ તા. ૧૯: ચૈત્રી પૂનમનાં દિવસે શ્રી જીરાવાલા પાર્શ્‍વનાથમાં હર્ષઉલ્લાસપૂર્વક શ્રી શેત્રુંજયગીરીરાજ પટનાં દર્શનની ઉજવણી કરવામાં આવી. સિધ્‍ધચક્રજીનું માંડલુ રચેલું. જે પાંચ જાતનાં ધાન્‍યમાંથી બનાવવામાં આવે છે. તેમાં દક્ષાબેન, સેજલબેન, મુકિતબેન, કામીનીબેન, રીયાબેન દેસાઇ વગેરે બહેનો દ્વારા બનાવવામાં આવેલ. આ સાથે જીરાવાલા પાર્શ્‍વનાથ દેરાસરે દાતાઓનાં સહયોગથી મહિલા મંડળ દ્વારા સ્‍નાત્ર પૂજા પણ ભણાવવામાં આવી રહી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઇ દેસાઇ (૭૯૯૦પ ૭૦૮૧૧) નાં માર્ગદર્શન હેઠળ જયેશભાઇ શાહ, હિંમાશુભાઇ કોઠારી, પ્રકાશભાઇ શાહ, નરેન્‍દ્રભાઇ શાહ, જયેન્‍દ્રભાઇ શાહ, વિરેન્‍દ્રભાઇ મહેતા, અનિલભાઇ મહેતા, ગિીરીશભાઇ શાહ, સમીરભાઇ કાપડીયા, પ્રકાશભાઇ કોઠારી, લલીતભાઇ વોરા, સ્‍નેહલભાઇ શાહ, સમીરભાઇ શાહ એ જહેમત ઉઠાવેલ હતી.

(3:09 pm IST)