Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજકોટ સિવિલમાં વિરપુરના યુવાનનું કોરોનાથી મોતઃ વાલીવારસની શોધ

સિવિલ હોસ્‍પિટલમાં મુકેશ રાઠોડ-રહે. વિરપુરના નામથી દાખલ થયો'તોઃ વિરપુર પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૧૯: પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં આવેલા કોવિડ સેન્‍ટરમાં દાખલ કરાયેલા વિરપુર તરફના એક યુવાનનું મોત નિપજ્‍યું છે. તેના વાલીવારસ મળતાં ન હોઇ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિરપુર પોલીસને જાણ કરી હતી.
જાણવા મળ્‍યા મુજબ એક યુવાનને બિમારી સબબ રાજકોટ સિવિલમાં વિરપુરથી લાવવામાં આવ્‍યો હતો. તે વખતે તેનું નામ મુકેશ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૫-રહે. વિરપુર) લખાવાયું હતું. સારવાર દરમિયાન આ યુવાને ગઇકાલે કોવિડ કેર સેન્‍ટરમાં દમ તોડી દેતાં તબિબે તેના વાલીવારસની શોધ કરી હતી. પરંતુ વાલીવારસ ન મળતાં એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરતાં હોસ્‍પિટલ ચોકી મારફત વિરપુર પોલીસને જાણ કરાઇ હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા-પરિચિત હોય તો રાજકોટ સિવિલ હોસ્‍પિટલ કોવિડ સેન્‍ટર અથવા વિરપુર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(10:46 am IST)