Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

યુવા ભાજપ દ્વારા મશાલ રેલી

 શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ 'અખંડ ભારત સ્મૃતિ દિવસ' નિમિતે સ્વતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ છત્રપતિ શીવાજીની પ્રતિમા, જિલ્લા પંચાયત ચોકથી પ્રારંભ થઇ યાજ્ઞીક રોડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ. આ મશાલ યાત્રાનો પ્રારંભ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ કરાવ્યો હતો. આ તકે તેઓએ જણાવેલ કે 'અખંડ ભારત સ્મૃતિ દિન' અંતર્ગત દેશની અખંડીતતા, અલંકૃતા અને ઐકયને પ્રાપ્ત કરવા 'મશાલ રેલી'નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ગૌરવપૂર્ણ રાષ્ટ્રની અખંડતા માટે શહિદી વ્હોરનારા શહિદોની સ્મૃતિ કરી મશાલ રેલીની જયોત દ્વારા અખંડ ભારત માટે રાષ્ટ્ર ચેતનાનો સંચાર કરવા આહવાન કરવામાં આવેલ. મશાલ યાત્રામાં શહેર ભાજપ યુવા મોરચાના અગ્રણી પૃથ્વીસિંહ વાળા, હીરેન રાવલ તેમજ મહામંત્રી કિશન ટીલવા, પરેશ પીપળીયા (પી.પી.), અમીત બોરીચા, પુર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, પાર્થરાજ ચૌહાણ, વ્યોમ વ્યાસ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(3:05 pm IST)